મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનાં પ્રયત્નોની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “5 વર્ષ માટે શિવસેનાનો જ સીએમ રહેશે. તમામ દળો શિવસેનાનાં સીએમ માટે રાજી થઈ ગયા છે.” આ સાથે પૂર્વ ગઠબંધન સહયોગી ભારતીય જનતા પાર્ટીની સાથે સરકાર બનાવવાની વાત પર કહ્યું કે, “તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. જો બીજેપી ઇન્દ્રનું સિંહાસન આપે તો પણ અમને મંજૂર નહીં હોય.”
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનાં પ્રયત્નોની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “5 વર્ષ માટે શિવસેનાનો જ સીએમ રહેશે. તમામ દળો શિવસેનાનાં સીએમ માટે રાજી થઈ ગયા છે.” આ સાથે પૂર્વ ગઠબંધન સહયોગી ભારતીય જનતા પાર્ટીની સાથે સરકાર બનાવવાની વાત પર કહ્યું કે, “તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. જો બીજેપી ઇન્દ્રનું સિંહાસન આપે તો પણ અમને મંજૂર નહીં હોય.”