સુપ્રીમ કોર્ટે રાફેલ ડિલ પર કેન્દ્રની મોદી સરકારને મોટી રાહત આપી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેંચે રાફેલ મામલે પુનઃ વિચારણા અરજી ફગાવી દીધી છે. રાફેલ ડિલ મામલે સુપ્રીમ કોર્ટે 2018ના આદેશ પર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સહિત અન્ય લોકો તરફથી કરવામાં આવેલ પુનઃ વિચારણા અરજી દાખલ કરાઇ હતી. આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની ખંડપીણે ચૂકાદો સંભળાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે રાફેલ ડિલ પર કેન્દ્રની મોદી સરકારને મોટી રાહત આપી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેંચે રાફેલ મામલે પુનઃ વિચારણા અરજી ફગાવી દીધી છે. રાફેલ ડિલ મામલે સુપ્રીમ કોર્ટે 2018ના આદેશ પર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સહિત અન્ય લોકો તરફથી કરવામાં આવેલ પુનઃ વિચારણા અરજી દાખલ કરાઇ હતી. આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની ખંડપીણે ચૂકાદો સંભળાવ્યો છે.