ફ્રેન્ચ કંપની દસોલ્ટ પાસેથી ૩૬ રાફેલ યુદ્ધવિમાન ખરીદવાના સોદામાં મોદી સરકારને અપાયેલી ક્લીનચીટનો પુનરોચ્ચાર કરતાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે તેના ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ના ચુકાદાની સમીક્ષાની માગ કરતી પિટિશનો તર્કવિહીન ગણાવી રદ કરી નાખી હતી. રૂપિયા ૫૮,૦૦૦ કરોડના વિમાન સોદામાં કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે એફઆઇઆર નોંધવાની જરૂર હોવાની અરજકર્તાઓની દલીલ પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
ફ્રેન્ચ કંપની દસોલ્ટ પાસેથી ૩૬ રાફેલ યુદ્ધવિમાન ખરીદવાના સોદામાં મોદી સરકારને અપાયેલી ક્લીનચીટનો પુનરોચ્ચાર કરતાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે તેના ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ના ચુકાદાની સમીક્ષાની માગ કરતી પિટિશનો તર્કવિહીન ગણાવી રદ કરી નાખી હતી. રૂપિયા ૫૮,૦૦૦ કરોડના વિમાન સોદામાં કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે એફઆઇઆર નોંધવાની જરૂર હોવાની અરજકર્તાઓની દલીલ પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.