Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અગ્રણી આઇટી સર્વિસિઝ કંપની ઇન્ફોસીસને મોટી રાહત મળી છે. ડિરેક્ટરજનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯થી ૨૦૨૧-૨૨ના પાંચ વર્ષના સમયગાળા માટે રૂ. ૩૨,૪૦૩ કરોડના જીએસટીના બાકી લેણા પેટે નોટિસ પાઠવી હતી. હવે આ નોટિસ ક્લોઝ કરી છે. આના પગલે ભારતની બીજા નંબરની સૌથી મોટી આઇટી કંપની સામેના જીએસટી કેસનો અંત આવ્યો છે. 
લગભગ વર્ષ પહેલા જીએસટી સત્તાવાળાઓએ ઇન્ફોસિસને રૂ. ૩૨,૪૦૩ કરોડની નોટિસ પાઠવી હતી. કંપનીની વિદેશની શાખાઓએ છેલ્લા પાંચ વર્ષમાં કરેલી કામગીરીને લઈને તેને આ નોટિસ પાઠવવામાં આવી હતી. આ જીએસટી માંગ ઇન્ફોસિસના વાર્ષિક નફા રૂ. ૨૬,૭૧૩ કરોડથી પણ વધારે હતી. હવે આ નોટિસ ક્લોઝ કરવામાં આવતા ઇન્ફોસિસને રાહત થઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ