બિહારમાં ગંગા નદીના જળસ્તરમાં વધારાની અસર કટિહાર જિલ્લામાં પણ જોવા મળી રહી છે. જિલ્લાના 6 તાલુકા- કુર્સેલા, બરારી, મનિહારી, અમદાવાદ, માનસાહી અને પ્રાણપુર પૂરથી ખરાબ રીતે પ્રભાવિત છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં લગભગ 5 લાખની વસ્તી પ્રભાવિત છે. કટિહારમાં ગંગા, કોસી, બારાંડી અને કારી કોસીના જળસ્તરમાં વધારો થવાને કારણે કટિહારમાં પૂરની સ્થિતિ ગંભીર છે.