Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન થશે. જેના પાયામાં રાજકોટમાં બનેલી ગોલ્ડ પ્લેટેડ અને ચાંદીની ઈંટ મુકાશે અને આ ઈંટ જ પર જ રામલલ્લાના મંદિરનું નિર્માણ પામશે. કુલ ત્રણ ઈંટ બની છે. જેમાં 250 ગ્રામની બે અને એક કિલોની એક ઈંટનો સમાવેશ થાય છે. આ ઈંટ માત્ર 7 કલાકના સમયમાં જ બનાવવામાં આવી છે. આ ઈંટ હિન્દુ આચાર્ય સભાના પ્રતિનિધિ તરીકે એસ.જી.વી.પી. ગુરુકુળ મંદિરના માધવપ્રિયદાસજી અયોધ્યા લઈને પહોંચ્યા છે. માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરના પાયા ખોદવા સહિતનું કામ શરૂ થશે ત્યારે આ ઈંટનો ઉપયોગ થશે. હાલમાં આ ઈંટ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

પાંચ વ્યક્તિઓએ બનાવી આ ઇંટો

ઈંટ બનાવનાર સોની વેપારી રાજેશભાઈ કાત્રોડિયાએ જણાવ્યું કે, સોમવારે રક્ષાબંધનના પવિત્ર દિને જ્યારે મને જાણ થઇ કે, રામલલ્લાના મંદિરના પાયાના પથ્થરમાં જેને અર્પણ કરવાની છે તે ગોલ્ડ પ્લેટેડ અને ચાંદીની ઈંટ મારે બનાવવાની છે. ત્યારે એમ થયું કે જેના સદભાગ્ય હોય તેને આવું સુખ મળે. સમય ઓછો હતો. આટલા ઓછા સમયમાં ઈંટ બનાવવી એક પડકાર હતો, પણ પછી તો રામલ્લાએ હિંમત આપી. તાત્કાલિક ચાંદી અને રો મટિરિયલ્સ ભેગું કર્યું, પછી ઈંટ નિર્માણની કામગીરી શરૂ કરી. ઈંટ પર જે એસ.જી.વી.પી. ગુરુકુળ ગુજરાત લખવામાં આવ્યું છે તે માટે લેસર ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. કુલ પાંચ વ્યક્તિની ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી. ડિઝાઈન સોની ભાઈઓ અને બંગાળી કારીગરોએ તૈયાર કરી છે. રાજકોટ ઉપરાંત અમદાવાદથી પણ આવી ભેટ લઈ જવાઈ છે. બન્ને શહેરમાં બનેલી ભેટની કિંમત અંદાજિત રૂ. 4.50 લાખ છે.

આજે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન થશે. જેના પાયામાં રાજકોટમાં બનેલી ગોલ્ડ પ્લેટેડ અને ચાંદીની ઈંટ મુકાશે અને આ ઈંટ જ પર જ રામલલ્લાના મંદિરનું નિર્માણ પામશે. કુલ ત્રણ ઈંટ બની છે. જેમાં 250 ગ્રામની બે અને એક કિલોની એક ઈંટનો સમાવેશ થાય છે. આ ઈંટ માત્ર 7 કલાકના સમયમાં જ બનાવવામાં આવી છે. આ ઈંટ હિન્દુ આચાર્ય સભાના પ્રતિનિધિ તરીકે એસ.જી.વી.પી. ગુરુકુળ મંદિરના માધવપ્રિયદાસજી અયોધ્યા લઈને પહોંચ્યા છે. માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરના પાયા ખોદવા સહિતનું કામ શરૂ થશે ત્યારે આ ઈંટનો ઉપયોગ થશે. હાલમાં આ ઈંટ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

પાંચ વ્યક્તિઓએ બનાવી આ ઇંટો

ઈંટ બનાવનાર સોની વેપારી રાજેશભાઈ કાત્રોડિયાએ જણાવ્યું કે, સોમવારે રક્ષાબંધનના પવિત્ર દિને જ્યારે મને જાણ થઇ કે, રામલલ્લાના મંદિરના પાયાના પથ્થરમાં જેને અર્પણ કરવાની છે તે ગોલ્ડ પ્લેટેડ અને ચાંદીની ઈંટ મારે બનાવવાની છે. ત્યારે એમ થયું કે જેના સદભાગ્ય હોય તેને આવું સુખ મળે. સમય ઓછો હતો. આટલા ઓછા સમયમાં ઈંટ બનાવવી એક પડકાર હતો, પણ પછી તો રામલ્લાએ હિંમત આપી. તાત્કાલિક ચાંદી અને રો મટિરિયલ્સ ભેગું કર્યું, પછી ઈંટ નિર્માણની કામગીરી શરૂ કરી. ઈંટ પર જે એસ.જી.વી.પી. ગુરુકુળ ગુજરાત લખવામાં આવ્યું છે તે માટે લેસર ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. કુલ પાંચ વ્યક્તિની ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી. ડિઝાઈન સોની ભાઈઓ અને બંગાળી કારીગરોએ તૈયાર કરી છે. રાજકોટ ઉપરાંત અમદાવાદથી પણ આવી ભેટ લઈ જવાઈ છે. બન્ને શહેરમાં બનેલી ભેટની કિંમત અંદાજિત રૂ. 4.50 લાખ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ